એકબીજા માટે સંબંધોનું એવું સ્તર રહે,
જ્યાં અને જ્યારે મળો બસ, પગલું ધરતી પર રહે.
એ જ માણસ આખરે શ્વેતત્વને પામી શકે,
સપ્તરંગો માટે જેને મન સદા આદર રહે.
જેના પરસેવા થકી તારો ઘડો છલકાય છે,
ભાગ્યમાં એના જ શાને ખાલીખમ સરવર રહે ?
ક્યાંક સીધો ને સરળ છે, ક્યાંક તું કૂટપ્રશ્ન છે,
ના ઉકેલી કોઈ શકતું, એટલે તું પર રહે.
એ વિચારી પર્ણ સૌ ખરતાં ગયાં છે ડાળથી,
કે, નવેસર બાળપણનો વૃક્ષને અવસર રહે.
સુનીલ શાહ





Recent Comments