ક્યાં બધે મનથી હસાતું હોય છે ?
હાસ્ય અમથુંયે લવાતું હોય છે !
આંખ ભીની થાય, કે ના થાય, પણ–
વેદનાથી મન ઘવાતું હોય છે.
આગને પેટાવવી તો છે સરળ,
પણ પછી ખુદને દઝાતું હોય છે.
સેજ સોનાની ભલે હો પિંજરે,
રોજ પંખી ત્યાં ઘવાતું હોય છે.
રાતભર પડખાં ઘસી નાંખો પછી,
યાદનું ધુમ્મસ છવાતું હોય છે.
સુનીલ શાહ