Archive for May, 2008

વારતા

કોણે માંડી’તી સમયની વારતા..?

અંતમાં, જે થઈ પ્રલયની વારતા.

 

શાંત જળ ઝીલે કદી પથ્થરનો ઘા,

તો વ્યથા થઈ જાય લયની વારતા.

 

એટલે તો રોજ સૂરજ ડૂબે છે,

કે, લખાશે એક ઉદયની વારતા.

 

આપણામાં કૈંક ખૂટે છે હજી,

એટલે ના થઈ વિલયની વારતા.

 

ખીલશે સોળે કળાએ ચાંદ જ્યાં,

ત્યાં લખાશે રોજ ક્ષયની વારતા.

સુનીલ શાહ