એકાધિકાર
એ કળાને તો,
માણસે ક્યારનીયે
આત્મસાત્ કરી લીધી છે,
હવે,
એકાધિકાર
ખતમ થઈ ગયો છે,
કાચીંડાનો..
રંગ બદલવાનો..!
———————–
ઘર
બાળપણમાં
અમે ઘર–ઘર રમતાં’તાં,
નિર્દોષભાવે…!
મિત્રો
કેવા આત્મીય–સ્વજન
લાગતા’તા…!
સમયની પાંખ ફેલાતી ગઈ…
જીવન નવા આસમાનને
સ્પર્શતું ગયું…
એક–બે–ત્રણ દશકા…
પાછું વળીને જોઉં છું
ત્યારે,
ભીતરથી ખારો પ્રશ્ન ઊઠે છે..
જે જિવાયું તે ‘ઘર’ હતું..?
પરસ્પર
સ્નેહથી ભીંજાઈ જવાની
એ ‘કળા‘ તો..
ચાલો,
આપણે શીખી લઈએ….
બાળક પાસેથી..!
સુનીલ શાહ

Recent Comments