——————————

ફૂલ માન્યા એ જ કંટક થાય છે,

એટલે, ઘરડાંઘરો સર્જાય છે.

 

ક્યાં અહીં શાશ્વત કશું પણ હોય છે ?

સાંજ ટાણે સૂર્ય પણ ખોવાય છે.

 

કેમ, પથ્થર પૂજવાની લાહ્યમાં,

મંદીરોમાં માનવી ઉભરાય છે ?

 

અંશ એનો ક્યાંય મળવાનો નથી,

જે સતત ભીતરેથી બળતો જાય છે.

 

આભ ફાટયું છે જુઓ સંબંધનું,

એકલે હાથે તો ક્યાં સંધાય છે ?

 

ભ્રૂણવત્ સંબંધ છે માભોમથી,

માતૃભાષા એટલે બોલાય છે.

 

સુનીલ શાહ 

 

About these ads