(મિત્રો…મારી ગઝલ કોઈ સામયિકમાં છપાઈ હોય તેવી આ સૌ પ્રથમ ઘટના છે. લુણાવાડા, જિ.પંચમહાલથી પ્રગટ થતા ‘કવિ’ સામયિકે ઑગસ્ટ–૨૦૦૮નો અંક સુરતના કવિઓના વિશેષાંક (સંપાદનઃ કવિશ્રી બકુલેશભાઈ દેસાઈ તથા ડૉ. પ્રફુલ્લભાઈ દેસાઈ) તરીકે પ્રગટ કર્યો..તેનું વિમોચન તા.૭ સપ્ટે.ને રવિવારે કવિશ્રી નયનભાઈ દેસાઈના હસ્તે સાહિત્ય સંગમ–શ્રી નાનુભાઈ નાયક પ્રેરિત હૉલમાંથયું. તંત્રીશ્રી મનોજકુમાર શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે યોજાયેલ મુશાયરામાં મને પણ ગઝલ રજૂ કરવાની સૌ પ્રથમવાર તક મળી..આ બેવડો આનંદ આપની સમક્ષ વહેંચું છું. આ ગઝલ આપે અહીં તથા ટહુકો.કૉમ પર માણી હતી. આપ સૌના આશિર્વાદ–શુભેચ્છાઓ તથા માર્ગદર્શન સતત મળતાં રહેશે તેવી મને શ્રદ્ધા છે.)



Recent Comments