એમ ભીતરને ઢંઢોળવા જાઉં છું,
મૃગજળી ઘેલછા ટાળવા જાઉં છું.

હું તને જોઉં ને બસ, મને લાગે છે,
મારી જ જાત નિહાળવા જાઉં છું.

તું કહે હા કે ના, સરખું છે મારે મન,
બીજે હું મનને ક્યાં વાળવા જાઉં છું..?

છે લપસણી જગા એમ જાણ્યા પછી,
ક્યાં મને હુંય સંભાળવા જાઉં છુ..?

ગાંડપણ લાગે તો ગાંડપણ, તે છતાં,
માણસોમાં ખુદા ખોળવા જાઉં છું.

ચાહું છું દૂર કરવા બધી ભેળસેળ,
લાગણીને સતત ચાળવા જાઉં છું.

સુનીલ શાહ

About these ads